Header Ads Widget

Responsive Advertisement

સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ


રસીકરણ:આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન બંધ, મમતા દિવસના નામે સરકારે લીધેલો નિર્ણય
અમદાવાદ2 કલાક પહેલા



બીજી તરફ વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી એક દિવસ વેક્સિનેશન બંધ રખાયું હોવાની ચર્ચા
અમદાવાદમાં સોમવારે 18થી 44 વય જૂથના 16,691 અને 45 વર્ષ ઉપરના 12,258 લોકોને વેક્સિન અપાઈ

રાજ્યમાં અમદાવાદ સહિતનાં શહેરોમાં આવતીકાલે બુધવારે કોરોનાની વેક્સિન લોકોને આપવામાં આવશે નહીં. રાજ્યમાં સપ્તાહમાં એક દિવસ કોરોના વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ મુજબ 'મમતા દિવસ'એ બાળકોનું રસીકરણ થઈ શકતું નથી, જેથી દર બુધવારે કોરોના વેક્સિન હવે આપવામાં આવશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું છે. જોકે સરકાર પાસે વેક્સિનેશનનો મર્યાદિત સ્ટોક હોવાને કારણે આ 'મમતા દિવસ'ના નામે એક દિવસ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે.

અમદાવાદમાં સોમવારે 33,981 લોકોને વેક્સિન અપાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી મુજબ, બુધવારે કોરોના વેક્સિનેશન બંધ રહેશે. હવે દર અઠવાડિયે એક દિવસ રસીકરણ બંધ રહેવાથી અમદાવાદમાં વેક્સિન ઉપલબ્ધ નહિ હોય. કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજ્યમાં સરકારે વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યું છે, પરંતુ અમદાવાદ શહેરમાં લોકો દરરોજ સવારથી રસી લેવા માટે કેન્દ્ર પર જઈને લાઈનો લગાવે છે, પરંતુ એક કેન્દ્ર પર 200 જેટલા લોકોને જ વેક્સિન આપવામાં આવે તેટલો સ્ટોક આવ્યો છે. અમદાવાદ શહેરમાં 400 જેટલાં રસીકરણ કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવે છે. શહેરમાં સોમવારે 33 હજાર 981 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.


સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે

સોમવારે 18થી 44 વય જૂથના 16,691 અને 45 વર્ષ ઉપરના 12,258 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 3033 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા 1125 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યારસુધી 17,194 જેટલા સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. રાજ્યમાં એક દિવસ વેક્સિન બંધ રહેતાં દિવાળી સુધીમાં દરેક અમદાવાદી વેક્સિનનો પહેલો ડોઝ મેળવશે એવો ટાર્ગેટ પૂરો નહિ થાય.

અમદાવાદમાં 54 લાખ લોકોને બીજો ડોઝ લેવાનો હજુ બાકી

અમદાવાદની વસતિ અંદાજે 60 લાખની આસપાસ છે, પરંતુ અત્યારસુધી માત્ર 6 લાખ લોકોએ કોરોનાની રસીના બે ડોઝ લીધા છે. આનો અર્થ એ થયો કે માત્ર 10 ટકા વસતિએ બે ડોઝ લીધા છે. જ્યારે અંદાજે 54 લાખ લોકોએ હજુ બંને ડોઝ પૂરા કરવાના બાકી છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા વચ્ચે બચાવનો એકમાત્ર ઉપાય રસી છે. જોકે અત્યારસુધી લગભગ 24 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, જ્યારે બંને ડોઝ લેનારાની સંખ્યા 6 લાખની આસપાસ છે.ક્રેડિટ લિંક 

અમદાવાદને સ્પુતનિક-વી રસીના 28 હજારથી વધુ ડોઝ મળશે

શહેરમાં રશિયન રસી સ્પુતનિક-વી આપવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલને તેની મંજૂરી મળી છે. શેલ્બીના જણાવ્યા મુજબ, ડૉ. રેડ્ડી લેબોરેટરી હૈદરાબાદથી ગુજરાત માટે સ્પુતનિક-વી રસીના 40 હજાર ડોઝ આવવાના છે, એમાંથી 28,800 ડોઝ અમદાવાદને ફાળવાયા છે. અત્યારસુધી હોસ્પિટલને સ્પુતનિક-વી રસીના પ્રથમ 600 ડોઝ મળ્યા છે. સ્પુતનિક-વી રસીના બે ડોઝ વચ્ચે 21 દિવસનો ગાળો રાખવો પડે છે. આરોગ્ય સેતુ એપથી શેલ્બી હોસ્પિટલની એસ.જી. હાઈવે, નરોડા, વિજય ચાર રસ્તા અને બોપલ ઘુમા સાઈટ માટે રજિસ્ટ્રેશન કરાવી ટાઈમ સ્ટોલ મેળવી શકશે.

Post a Comment

0 Comments